ન્યુઝીલેન્ડ ની જીત સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઈનલ મા પહોચ્યાવા ના સમીકરણ બદલાઈ ગયા ! હવે ટીમ ઈન્ડિયા જો ઓસ્ટ્રેલિયા સામે હારે તો….

અહીં થી શેર કરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝથી એ જાણી શકાશે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કઈ બે ટીમો આમને-સામને ટકરાશે. બીજી તરફ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને 1 રનથી હરાવ્યું છે. આ મેચના પરિણામને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ બે મેચમાં મોટા અંતરથી હરાવ્યું હતું, પરંતુ તેમ છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં નંબર વન સ્થાન પર છે. ટીમ ઈન્ડિયા બીજા નંબર પર છે. ભારતના 123 પોઈન્ટ છે. તે જ સમયે, ભારતીય ટીમની જીતની ટકાવારી 64.06 થઈ ગઈ છે.

ભારતીય ટીમે પહેલા બાંગ્લાદેશ અને હવે ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શાનદાર વાપસી કરી છે. ત્રીજા નંબર પર શ્રીલંકાની ટીમ છે જેના 64 પોઈન્ટ છે અને તેની જીતની ટકાવારી 53.33 છે. જો શ્રીલંકાની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું હોય તો તેને ન્યૂઝીલેન્ડ સામેની બંને ટેસ્ટ જીતવી પડશે.

આ સિવાય જો આપણે જોઈએ તો બીજી કોઈ ટીમ આ રેસમાં નથી. ઈંગ્લેન્ડની ટીમના હાલમાં 124 પોઈન્ટ છે અને તે પાંચમા નંબર પર છે અને ટીમની જીતની ટકાવારી 46.97 છે. બીજી તરફ ન્યુઝીલેન્ડના 36 પોઈન્ટ છે અને જીતની ટકાવારીની વાત કરીએ તો તે 27.27 છે. આ મેચમાં, ન્યુઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે જો રૂટ અને હેરી બ્રુકની શાનદાર સદીની મદદથી પ્રથમ દાવમાં 435 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ પ્રથમ દાવમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઈંગ્લેન્ડની ટીમે ફોલોઓન આપ્યું હતું. બીજા દાવમાં ન્યુઝીલેન્ડે 483 રન બનાવ્યા જેના જવાબમાં ઈંગ્લેન્ડે વધુ 256 રન બનાવ્યા અને મેચ એક રનથી હારી ગઈ.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *